પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12:40 વાગ્યે તેઓ મધ્ય પ્રદેશના ઝાબુઆમાં લગભગ 7300 કરોડ રૂપિયાની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે.
અંત્યોદયનું વિઝન પ્રધાનમંત્રી દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલો માટે માર્ગદર્શક રહ્યું છે. મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાંનું એક એ સુનિશ્ચિત કરવાનું રહ્યું છે કે વિકાસના લાભો આદિજાતિ સમુદાય સુધી પહોંચે, જેમાંના મોટા ભાગના લોકો આઝાદીના કેટલાક દાયકાઓ પછી પણ આ લાભો પ્રાપ્ત કરી શક્યા ન હતા. તેને અનુરૂપ પ્રધાનમંત્રી વિવિધ પહેલોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, જેનો લાભ આ વિસ્તારમાં નોંધપાત્ર આદિવાસી સમુદાયને મળશે.
પ્રધાનમંત્રી આશરે બે લાખ મહિલા લાભાર્થીઓને આહર અનુદાન યોજના હેઠળ આહર અનુદાનનો માસિક હપ્તો વહેંચશે. આ યોજના હેઠળ મધ્યપ્રદેશની વિવિધ ખાસ પછાત જનજાતિની મહિલાઓને પૌષ્ટિક આહાર માટે દર મહિને 1500 રૂપિયા આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી સ્વિમિત્વ યોજનાનાં લાભાર્થીઓને 1.75 લાખ અધિકાર અભિલેખ (અધિકારોનો રેકોર્ડ)નું વિતરણ કરશે. આ લોકોને તેમની જમીનના અધિકાર માટે દસ્તાવેજી પુરાવા પ્રદાન કરશે.
પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ 559 ગામડાઓ માટે 55.9 કરોડ રૂપિયા ટ્રાન્સફર પણ કરશે. આ રકમનો ઉપયોગ આંગણવાડી ભવનો, વાજબી ભાવની દુકાનો, આરોગ્ય કેન્દ્રો, શાળાઓમાં વધારાના ઓરડાઓ, આંતરિક રસ્તાઓ સહિત વિવિધ પ્રકારની બાંધકામ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે.
પ્રધાનમંત્રી ઝાબુઆમાં ‘સીએમ રાઇઝ સ્કૂલ’નો શિલાન્યાસ કરશે. આ શાળા વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસીસ, ઇ લાઇબ્રેરી વગેરે જેવી આધુનિક સુવિધાઓ પ્રદાન કરવા માટે ટેકનોલોજીને સંકલિત કરશે.
પ્રધાનમંત્રી મધ્ય પ્રદેશમાં પાણીનાં પુરવઠાને મજબૂત કરશે અને પીવાનાં પાણીની જોગવાઈને મજબૂત કરશે એવી અનેક યોજનાઓનો શિલાન્યાસ કરશે. જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે તેમાં ‘તલાવડા પ્રોજેક્ટ’ સામેલ છે, જે ધાર અને રતલામનાં એક હજારથી વધારે ગામડાંઓ માટે પીવાનાં પાણી પુરવઠાની યોજના છે. અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) 2.0 અંતર્ગત 14 શહેરી પાણી પુરવઠા યોજનાઓનો સમાવેશ થાય છે, જેનાથી મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં 50,000થી વધારે શહેરી કુટુંબોને લાભ થશે. પ્રધાનમંત્રી ઝાબુઆની 50 ગ્રામ પંચાયતો માટે ‘નલ જલ યોજના’ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે, જે આશરે 11,000 કુટુંબોને નળમાં પાણી પ્રદાન કરશે.