રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 4000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. હવે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ કરવામાં આવ્યો છે. 31મી સુધી ધોરણ 1થી 9ની સ્કૂલોમાં ઓફ લાઇન શિક્ષણ બંધ
- દુકાનો 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે
- રેસ્ટોરન્ટ 75 ટકા કેપેસિટી સાથે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે
- હોમ ડિલિવરી 11 વાગ્યા સુધી ચાલુ રહેશે
સરકારની નવી ગાઈડલાઈન જાહેર..
દુકાન,ગલ્લા,યાર્ડ,સલૂન રાત્રે 10 સુધી જ ચાલુ રાખી શકાશે..
સ્પા, બ્યૂટી પાર્લર,શોપિંગ કોમ્પ્લેક્સને રાત્રે 10 સુધીની જ છૂટ..
હોટલ,રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે..
રાજકીય, સામાજિક સહિતના કાર્યક્રમો પર પણ અંકુશ..
ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ સાથે કાર્યક્રમને છૂટ..
બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની છૂટ..
ખુલ્લા સ્થળોમાં લગ્નમાં 400 વ્યક્તિઓ સુધીની છૂટ..
લગ્નપ્રસંગો બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકાની જ છૂટ..
અંતિમવિધિ,દફનવિધિમાં મહત્તમ 100 લોકોને મંજૂરી..
સરકારી, પ્રાઈવેટ એસી નોન બસમાં 75 ટકા ક્ષમતાને મંજૂરી
સિનેમા હોલ, જીમ,વોટર પાર્ક,સ્વિમીંગ પુલમાં 50 ટકા ક્ષમતાને મંજૂરી..
લાઈબ્રેરી,ઓડિટોરીયમ,મનોરંજક સ્થળોમાં 50 ટકા ક્ષમતાને મંજૂરી
જાહેર બાગ બગીચા રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે..
ધો. 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ સુધીના કોચિંગ ક્લાસને 50 ટકા ક્ષમતામાં મંજૂરી..
ધો. 1 થી 9 ના ઓફલાઇન વર્ગ બંધ ..
31 જાન્યુઆરી સુધી બંધ કરાયા વર્ગ માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે..