આતંકી સંગઠન ‘જૈસ અલ અદલ’ ઇરાનના સિસ્તાન પ્રાંતમાં પણ સક્રિય છે
પાકિસ્તાનના બ્લુચિસ્તાનમાં સુન્ની આતંકી સંગઠનનો ઉદ્ભભવ થયો હતો
પાકિસ્તાનની સરહદ સાથે સંકળાયેલા દક્ષિણ પૂર્વી વિસ્તારમાં ઇરાનના રિવોલ્યૂશનરી ગાર્ડસના હેડ કવાટર પર થયેલા આતંકી હુમલામાં ૧૧ સૈનિકોનો મોત થતા ઇરાનમાં હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાન પ્રેરિત સુન્ની આતંકી સંગઠન જૈસ અળ અદલ આ હુમલા સાથે સંકળાયેલું છે. અગાઉ પણ જૈલ અલ અદલ આ પ્રકારના હુમલા કરી ચુકયું છે.
થોડાક સમય પહેલા ઇરાને પાકિસ્તાનના બ્લુચિસ્તાન વિસ્તારમાં જૈસ અલ અદલના સ્થાનો પર એર સ્ટ્રાઇક કરી હતી તેમ છતાં આતંકી સંગઠનનો ભય ઓછો થયો નથી. ઇરાનના આંતરિક બાબતોના ઉપમંત્રી માજિદ મિરહમાદીના જણાવ્યા અનુસાર ઇરાનના બોર્ડર ગાર્ડસ ચાબહાર અને રસ્કમાં રિવોલ્યુશનરી ગાર્ડસના બેઝ પર હુમલો થયો હતો.
આ બંને સિસ્તાન બ્લુચિસ્તાન અને અફઘાનિસ્તાન, પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા વિસ્તાર છે. નવેસરની આ આતંકી ઘટના પછી પાડોશી દેશ ઇરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે.અગાઉ ડિસેમ્બર મહિનામાં પણ જૈસ અલ અદલે આવા જ હુમલાને અંજામ આપ્યો હતો. આનો બદલો લેવા માટે ઇરાને મજબૂરીથી પાકિસ્તાન પર મર્યાદિત એર સ્ટ્રાઇક કરી હતી.
સિસ્તાન બલુચિસ્તાન વિસ્તાર આતંકીઓનો ગઢ બની ગયો છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાંથી સુન્ની આતંકીઓ શિયા બહુમતિ ધરાવતા ઇરાન પર હુમલો કરતા રહે છે. આ વિસ્તાર નશીલી દવાઓ અને ચરસ ગાંજાની દાણચોરીનું પણ મોટું હબ બની ગયો છે.