કેજરીવાલ વતી CJI DY ચંદ્રચુડની બેન્ચ સમક્ષ હાજર થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી અને ત્યારબાદ CJIએ કહ્યું હતું કે, તેઓ સોમવારે આ મામલાની તપાસ કરશે
દિલ્હી દારૂ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટથી તો રાહત નથી મળી પણ હવે આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી યોજાનાર છે. એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને અટકાયતને કાયદેસર બનાવવાના 9 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર સુનાવણી માટેના કેસોની યાદીમાં અરવિંદ કેજરીવાલની અરજી પણ સામેલ છે.
વાત જાણે એમ છે કે, દિલ્હી હાઈકોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મોટો ફટકો આપતા મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને માન્ય ગણાવી હતી અને કહ્યું હતું કે, વારંવાર જાહેર કરવા છતાં તેમણે તપાસમાં જોડાવાનો ઇનકાર કર્યા પછી EDએ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા કેજરીવાલની ED દ્વારા તેમની ધરપકડ અને ત્યારબાદ તેમને ફેડરલ એજન્સીની કસ્ટડીમાં મોકલવાને પડકારતી અરજી ફગાવી દીધી છે. આ જ કારણ છે કે હવે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.
નોંધનિય છે કે, આ મામલો 2021-22 માટે દિલ્હી સરકારની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. આ પોલિસી બાદમાં રદ કરવામાં આવી હતી. આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા જામીન મેળવવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે સંજય સિંહ જામીન પર જેલમાંથી બહાર આવીને લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે.
તાજેતરમાં અરવિંદ કેજરીવાલ વતી CJI DY ચંદ્રચુડની બેન્ચ સમક્ષ હાજર થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી અને ત્યારબાદ CJIએ કહ્યું હતું કે, તેઓ સોમવારે આ મામલાની તપાસ કરશે. EDએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી જ્યારે હાઇકોર્ટે તેમને મની લોન્ડરિંગ કેસમાં ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોઈપણ શિક્ષાત્મક કાર્યવાહીથી રક્ષણ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે અને તેઓ હવે તિહાર જેલમાં બંધ છે.