વડોદરા નજીક આવેલા સોખડા ગામ પાસે મોતિયાપૂરા ખાતે રહેતા દેવેન્દ્ર ઘનશ્યામભાઈ પરમાર તેમના છોકરા અભ્યાસ કરતા ન હોવાથી ઠપકો આપી અને સંતાનો ઉપર ગુસ્સો કર્યો હતો. જેથી તેની પત્ની ધર્મિષ્ઠાએ છોકરાઓ ઉપર ગુસ્સો ના કરશો તેમ કહેતા દેવેન્દ્રને મનમાં લાગી આવ્યું હતું અને રાત્રે ઘરની પાછળ જઇ આંબાના ઝાડ પર કમરે બાંધવાના પટ્ટાથી ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતું.