પરિવારના સભ્યોની હત્યા કર્યા બાદ મોભીએ પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના આદિવાસી બહુમતીવાળા વિસ્તારમાં એક ચકચાર મચાવતી ઘટના બની હતી. આ ઘટના માહુલઝિર હેઠળ આવતા બોદલ કછાર ગામમાં બની હતી જ્યાં એક પરિવારના મોભીએ 8 સભ્યોની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ હત્યાઓ કરવા માટે કુહાડીનો ઉપયોગ કરાયો હતો.
પરિવારના મોભીએ પણ હત્યા કર્યા બાદ ફાંસો ખાઈ લીધો
ઘટનાસ્થળે સર્જાયેલા દૃશ્યો જોઈને ભલભલાની રૂહ કંપી ગઈ હતી. જોકે પરિવારના સભ્યોની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ ખુદ પરિવારના મોભીએ પણ ગળે ફાંસો ખાઈ લીધો હતો. જોકે આ હત્યાઓ કરવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.