ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટના ડીજીનું વ્યાખ્યાન યોજાયું
71 માં સ્થાપના દિનની ઉજવણી : ડો. સંધ્યા મિશ્રા અને ડો. કે.બી. પાંડે લિખિત ‘માઈક્રોએલ્ગી સ્પિરૂલી’ પુસ્તકનું વિમોચન
સીએસઆઈઆરની ભાવનગર ખાતે આવેલી પ્રયોગશાળા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટિટયૂટના 71 મા સ્થાપના દિવસની આજે ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ હતી.
સમાજ અને ઉદ્યોગોને સેવા આપવાના સીએસએમસીઆરઆઈના પ્રયાસો સાથે મીઠું અને દરિયાઈ રસાયણો, પાણી ડી-સેલિનેશન અને શુદ્ધિકરણ, ઉત્પ્રેરક, સીવીડની ખેતી જેવા વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં તેના સંશોધન માટે જાણીતું છે.
આખા દિવસના આ કાર્યમાં, સ્વાતંત્ર્યના સુવર્ણકાળની સ્મૃતિમાં સવારે ભાવનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સંસ્થામાં વૈજ્ઞાનિક-શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું. બપોરે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેલ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવસટીના વાઈસ ચાન્સેલર અને ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટના ડાયરેક્ટર જનરલ પહ્મશ્રી પ્રો.જે.એમ. વ્યાસે સ્થાપના દિનનું વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા પર રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું.
સ્થાપના દિન સમારોહમાં સંસ્થાના ડાયરેક્ટર ડો.કન્નન શ્રીનિવાસને સીએસએમસીઆરઆઈને વિશ્વની અગ્રણી સંસ્થા બનાવવા હાકલ કરી હતી. આ દરમિયાન સંસ્થાનું વીડિયો સ્ક્રીનિંગ અને ગુજરાતી ટેકનોલોજી કલેક્શન અને ડો. સંધ્યા મિશ્રા અને ડો. કે.બી. પાંડે લિખિત ‘માઈક્રોએલ્ગી સ્પિરૂલી’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંકલન ડો. વિશ્વજીત ગાંગુલીએ અને સંચાલન ડો. પારુલ સાહુએ કર્યું હતું. આભારવિધિ વહીવટી નિયંત્રક સુભાષ ચંદ્ર અંતિલ દ્વારા કરાઈ હતી.