લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “અબકી બાર 400 પાર”નો નારો આપ્યો હતો. તેમજ બીજેપી વિશે કહેવામાં આવ્યું છે કે આ વખતે 370ને પાર થઇ જશે. આમ તો આ ટાર્ગેટ ઘણો મહત્વાકાંક્ષી લાગે છે, પરંતુ જો જમીની સ્થિતિ જોઈએ તો ભાજપને પણ નુકસાન થઈ શકે છે.
પ્રથમ તબક્કામાં માત્ર 63 ટકા મતદાન
હાલ પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થઈ ગયું છે. જેમાં માત્ર 63 ટકા મતદાન જ થયું છે. જેમાં આ વખતે યુપીમાં સાત ટકા, બિહાર અને મધ્યપ્રદેશમાં 6 ટકા અને પશ્ચિમ બંગાળમાં પણ ચાર ટકા ઓછું મતદાન જોવા મળ્યું છે.
હવે આ ઓછા મતદાનથી કોને ફાયદો અને કોને નુકસાન થાય એ એક અલગ બાબત છે. પરંતુ આ સમગ્ર બાબતમાં ભાજપ માટે ચિંતાના વિષય સમાન એક મનોવૈજ્ઞાનિક એંગલ પણ છે.
એક્સ્ટ્રીમ વોટિંગથી કોઈ નુકસાન થશે?
જોતા એવું જ લાગે છે કે એનડીએ પ્રથમ તબક્કામાં જ મોટી લીડ છે, કોઈ વિપક્ષ જ નથી. પરતું જયારે અપેક્ષા કરતા ઓછું મતદાન થયું છે ત્યારે એક પ્રશ્ન જરૂર ઉભો થાય કે આ ઓછા મતદાનથી કોઈ નુકસાન થશે?
કોઈએ આંકડાઓ તપસ્યા વગર પણ કહી શકાય કે ભારે મતદાન સમયે પરિવર્તનના સ્પષ્ટ સંકેતો છે. એવામાં એક્સ્ટ્રીમ વોટિંગનો અર્થ થાય છે જ્યારે મતદાન જરૂર કરતાં ઘણું વધારે અથવા ઘણું ઓછું હોય.
ઉત્તર પ્રદેશની બેઠકો પર 10 ટકા સુધીનો મતદાનમાં ઘટાડો
આ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ઘણી બેઠકોમાં મતદાનમાં 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં એ પણ પ્રશ્ન થાય કે આ મતદાનને એક્સ્ટ્રીમ વોટિંગમાં સમાવવું જોઈએ કે નહિ. જો આવું થાય છે તો આ ભાજપ માટે સારા સમાચાર નથી.
વર્ષ 2014માં સ્વતંત્ર ભારત પછી સૌથી વધુ મતદાન
કારણ કે હાલના સમયમાં મોદી લહેર ચાલી રહી છે ત્યારે લોકોમાં પણ મતદાનને લઈને ઉત્સાહ જોવા મળે છે. જે મતદાનની સંખ્યામાં પણ સ્પષ્ટ જોવા મળે છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી સમયે લોકોને યુપીએ સરકાર સામે રોષ હતો.
જેથી 66.40 ટકા મતદાન થયું હતું, જે સ્વતંત્ર ભારત પછી સૌથી વધુ મતદાન હતું. તે પરથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે તે સમયે સરકાર બદલવા માટે પરિવર્તનને ધનમાં લઈને વધુ મતદાન થયું હતું.
2019માં 67.40 ટકા મતદાન
2019ની લોકસભા ચૂંટણીમાં 67.40 ટકા મતદાન થયું હતું. જે એક રેકોર્ડ મતદાન કહી શકાય. કારણ કે ચૂનાતાની પહેલા જ ઇન્ડિયન એરફોર્સ દ્વારા બાલાકોટમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ મુદ્દો લોકોના મનમાં હતો અને ભાજપે પણ રાષ્ટ્રવાદની પીચ પર મજબૂત ભૂમિકા ભજવીને એનડીએએ 352 બેઠકો જીતી લીધી હતી.
જયારે આ વર્ષે પ્રથમ તબક્કામાં 63 મતદાન થયું છે. એટલે છેલ્લી ચૂંટણી કરતા ઓછું મતદાન થયું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે ચૂંટણી પહેલા એવી કોઈ મોટી ઘટના નથી બની કે જેના આધારે લોકોને તે આકર્ષી શકે કે લોકોનું તેના તરફ ધ્યાન જાય.
400 પારનો નારો શું ભાજપને જ ભારે પડ્યો!
જો કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામ આવ્યું છે પણ આ કાર્ય વર્ષની શરૂઆતમાં થયું હતું. એવામાં સમય પસાર થતા આ મુદ્દાની ચમક ઓછી થતી જોવા મળી રહી છે.
એવા લોકો શું વિચારે છે અને ક્યાં આધારે મતદાન કરે છે તે પણ એક મોટો પ્રશ્ન છે. એવામાં એક એવો પ્રશ્ન પણ થાય કે 400 પારનો નારો શું ભાજપને જ ભારે પડશે?
પાર્ટી જીતશે જ એવો આત્મવિશ્વાસ જ બેદરકારી સર્જે છે
નિષ્ણાતોના માટે જો કોઈ પક્ષ જરૂર કરતાં મોટું લક્ષ્ય નક્કી કરી ને તેના અનુરૂપ એક સકારાત્મક વાતાવરણ બનાવે છે ત્યારે ઘણીવાર એ પાર્ટીને મતદાર પણ હળવાશમાં લઇ લે છે અને તે જીતશે જ એવો આત્મવિશ્વાસ અનુભવે છે. આ ખાતરી જ તેમને બૂથ પર જવા દેતી નથી અને આ બેદરકારી જ સત્તા પરિવર્તનનો આધાર બની જાય છે.
આ ટ્રેન્ડ 2004ની લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યો હતો. જેમાં વાજપેયીના કામના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા હતા. તેમ છતાં યુપીએની જીત અને એનડીએની હાર જોવા મળી હતી.
વોટ ટકાવારી સરકાર માટે ચિંતાનું મુખ્ય કારણ
એવામાં પીએમ મોદી પણ રેલીઓમાં 400 પારનો નારો આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે, ‘મેં ત્રીજી ટર્મ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જીત બાદ પ્રથમ 100 દિવસમાં જે કામ હાથ ધરવાના છે તેનો રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે.’
આમ તો આત્મવિશ્વાસ સારી વાત છે પણ આ 400 પારનો નારો લોકોના મનમાં એવી વાત બનાવી રહ્યો છે કે આ વખતે પણ મોદીની જ જીત થશે તો મત આપવાનો ફાયદો શું?
એવા વિપક્ષ પણ એવી વાત કરે છે કે ભાજપને લોકોના મતની જરૂર નથી. તે તો મત વગર જ જીતી જશે. એવામાં વિપક્ષના આરોપને સાવ ખોટો પણ પુરવાર ન કરી શકાય. લોકસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ રેલીમાં કહી ચૂક્યા છે કે, ‘મોદીને તમારો વોટ નથી જોઈતો, તેઓ 400 પ્લસ લાવવાની વાત કરી રહ્યા છે, મને તમારો વોટ જોઈએ છે, મને તમારા વોટની કિંમત છે.’
જો આખો વિપક્ષ ભાજપને જનતાના મતોની પરવા નથી એવું નરેટીવ સેટ કરવામાં સફળ થાય છે તો આવનારા તબક્કામાં તેને નુકસાન પણ થઈ શકે છે. અત્યાર સુધી ઓછી વોટ ટકાવારી સરકાર માટે ચિંતાનું મુખ્ય કારણ છે.