વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા મોરલીપુરા ગામમાં રહેતા મૂળ બિહારના અમિત અનિલ ઝાની પત્ની ક્રિષ્ના ઉંમર વર્ષ 22 એ સવારે રસોડામાં પંખો લગાડવાના હુક ઉપર સફેદ કલરની ઓઢણી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ડ્રાઇવિંગનું કામ કરતો અમિત ઘરે પરત ફર્યા ત્યારે પત્ની ગળાફાંસો ખાધેલી હાલતમાં જણાઈ હતી. ક્રિષ્નાએ કયા સંજોગોમાં આત્મહત્યા કરી તે અંગે જરોદ પોલીસે તપાસ હાથ ધરી છે.