ભગવાન રામનું પાત્ર નિભાવીને ફેમસ થયેલા એક્ટર અરૂણ ગોવિલનું કહેવું છે કે બાળકોને રામાયણ જરૂર ભણાવવી જોઈએ. આ સ્કૂલ-કોલેજમાં સિલેબસમાં શામેલ કરવામાં આવી જોઈએ.
રામાનંદ સાગરની સીરિયલ ‘રામાયણ’માં રામનું પાત્ર નિભાવીને લોકપ્રિયતા મેળવનાર એક્ટર અરૂણ ગોવિલ આજે પણ ચર્ચામાં છે. એક્ટરનું કહેવું છે કે રામાયણ બધા માટે જીવન દર્શન છે. તેને અભ્યાસક્રમમાં શામેલ કરવી જોઈએ. દરેક બાળકને સ્કૂલ અને કોલેજમાં તેને ભણાવવું જોઈએ.
અરૂણ ગોયેલને સવાલ કરવામાં આવ્યો કે સનાતની રાષ્ટ્ર કે હિંદૂ રાષ્ટ્ર માટે તમે ઈચ્છશો કે દરેક યુનિવર્સિટીમાં રામાયણ ભણાવવી જોઈએ? તેના જવાબમાં 66 વર્ષના એક્ટરે કહ્યું, ”રામાયણ આપણા અભ્યાસક્રમમાં જરૂર હોવી જોઈએ.”
‘રામાયણ આપણું જીવન દર્શન’
અરૂણે તેનું કારણ પણ જણાવ્યું, તેમણે કહ્યું, “તેમને એકદરથી ધાર્મિક કહી દેવું કોઈ ઔચિત્ય નથી. જસ્ટિફાઈ નથી. રામાયણ આપણું જીવન દર્શન છે. રામાયણ આપણને એવું બતાવે છે કે ફક્ત આપણે જ નહીં બધાને તેના જેવું બનવું જોઈએ.”
ઘણુ બધુ શિખવાડે છે રામાયણ
એક્ટરે આગળ કહ્યું કે રામાયણ શિખવાડે છે કે સંબંધ કઈ રીતે નિભવવા જોઈએ. લોકોમાં કેટલું ધૈર્ય હોવું જોઈએ. તે કહે છે, ”સંબંધ કેવા હોવા જોઈએ. ધૈર્ય કેટલું હોવું જોઈએ. વ્યક્તિ શાંતિ કેવી રીતે મેળવી શકે છે. આ બધા માટે છે. ફક્ત સનાતની લોકો માટે નથી.”