ઘઉંના ટાંકામાં 300 ટન જેટલો ઘઉનો જથ્થો હતો
સાવલી તાલુકામાં મંજુસર જી.આઇ.ડી.સીમાં આવેલ પૂનમ આટા મિલમાં ગ્રાઈન્ડર મશીન તૂટતા ત્રણ કામદારો દબાયા હતા. આ કરૂણ ઘટનામાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે બેને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે મંજુસર જીઆઇડીસીમાં આવેલી પૂનમ આટા મીલ ઘઉંને દળીને લોટ બનાવે છે ઘઉ દળવાના મોટા ટાંકામાં 300 ટન જેટલા આશરે ઘઉં હતા. દરમિયાન ૩૦૦ ટન ભરેલ ઘઉનો ટાંકો તુટી પડતા ઘઉંનાં ઢગલાંમા કામદારો દબાયા હતા જેમાં એકનું મોત નિપજ્યું હતું. બે J.C.B મશીન દ્વારા બીજા દબાયેલ કામદારોને બહાર કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી. કામદારોની ઓળખ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.