ભારે હિમવર્ષાના કારણે નાથુલામાં લગભગ 175 વાહનો ફસાઈ ગયા હતા
સેનાએ પ્રવાસીઓને ગરમ ખોરાક અને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી
ભારતીય સેના દેશને દુશમનોથી બચાવવાના કે લોકોને મુશ્કેલ પરિસ્થિતિમાં બહાર કાઢવામાં હંમેશા મોખરે ઉભી જોવા મળે છે. સેનાએ આવું જ એક બહાદુર પરાક્રમ કર્યું હતું, જેમાં સેનાના જવાનો પોતાના જીવ જોખમમાં મૂકીને પણ હિમવર્ષાને કારણે ફસાયેલા 500 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવ્યા હતા.
નાથુલામાં લગભગ 175 વાહનો ફસાઈ ગયા હતા
ભારતીય સેનાના જવાનોએ બુધવારે સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર નાથુલામાં ભારે હિમવર્ષાના કારણે ફસાયેલા 500 કરતા પણ વધારે પ્રવાસીઓને બચાવ્યા હતા. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. સેનાના નિવેદન અનુસાર, પૂર્વ સિક્કિમમાં અચાનક હિમવર્ષાના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને સેનાના ત્રિશક્તિ કોર્પ્સના જવાનોએ બચાવ્યા હતા. આ ઉપરાંત તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ત્રિશક્તિ કોર્પ્સના જવાનોને બચાવ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડી હતી. સેનાએ પ્રવાસીઓને ગરમ ખોરાક અને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. નોંધનીય છે કે ભારે હિમવર્ષાના કારણે નાથુલામાં લગભગ 175 વાહનો ફસાઈ ગયા હતા.
લોકોની સુરક્ષા માટે સેના હંમેશા તૈયાર
ભારતીય સેનાની ત્રિશક્તિ કોર્પ્સ સિક્કિમમાં સરહદોની રક્ષા કરતી વખતે નાગરિકોને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. આ બચાવ કામગીરી રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની સુખાકારી બંને માટે ભારતીય સેનાના સમર્પણને પ્રકાશિત કરે છે. નાગરિકો અણધાર્યા પડકારો અને કટોકટીઓનો જવાબ આપવા માટે તેમની તૈયારી દર્શાવે છે.