IPL 2024ની શરૂઆત થઈ ચૂકી છે. પહેલી મેચ ચેન્નઈ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની વચ્ચે ચાલી રહી છે. મેચ દરમિયાન દરેકની નજર એ વાત પર હતી કે ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપ કેવી રહેશે? ક્યાંક તેમની પણ 2022ની સીઝનની જેમ જાડેજા જેવી હાલત તો થઈ જશે નહીં ને. ગાયકવાહ માત્ર ધોનીની છાયા બનીને તો રહી નહીં જાય ને. પહેલી મેચમાં ચેન્નઈ પહેલા ફીલ્ડિંગ કરવા ઉતરી અને મેદાન પર જે કંઈ થયુ તેણે ઘણા બધા સંકેત પણ આપ્યા.
ધોનીની છાયામાંથી નીકળવુ મુશ્કેલ
ટીમના કેપ્ટન ભલે ઋતુરાજ ગાયકવાડ છે પરંતુ મેદાન પર લીડરની ભૂમિકામાં મહેન્દ્ર સિંહ ધોની જ નજર આવ્યા. મહેન્દ્ર સિંહ ધોનીનું કદ એવુ થઈ ચૂક્યુ છે કે કોઈ નવા ખેલાડીને તેમની છાયામાંથી નીકળવુ મુશ્કેલ છે. આમ તો ટોસ દરમિયાન ઋતુરાજે કહ્યુ હતુ કે તેઓ ધોનીના ચપ્પલમાં પગ નાખશે નહીં. પરંતુ જાતે જ પોતાનુ અસ્તિત્વ બનાવવા પર જોર આપશે પરંતુ મેદાન પર બાબતો અલગ અંદાજમાં નજર આવી રહી હતી. ફીલ્ડ ચેન્જ હોય કે પછી સ્ટ્રેટેજી બનાવવાની વાત હોય વિકેટોની પાછળથી ધોની સંપૂર્ણરીતે એક્ટિવ નજર આવી રહ્યા હતા. દરેક મોમેન્ટ અને ગેમના દરેક પાસા પર તેમની સંપૂર્ણ પકડ હતી.
ફ્લેમિંગ પણ ધોની સાથે વાત કરતા જોવા મળ્યા
આરસીબીની બેટિંગ દરમિયાન જ્યારે પહેલુ સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ થયુ તો કોચ ફ્લેમિંગ મેદાન પર આવ્યા. જે બાદ ધોની ઋતુરાજને સમજાવતા નજર આવ્યા. જે બાદ કમેન્ટેટર્સે પણ વાતની ચર્ચા કરવાનું શરૂ કરી દીધુ. વીરેન્દ્ર સેહવાગે તો સ્પષ્ટ કહી દીધુ કે મેદાન પર કેપ્ટનશિપ તો ધોની જ કરી રહ્યા છે. તેમણે કોમેન્ટ્રી પેનલમાં હાજર સુરેશ રૈનાને પણ આ વાત કહી. જોકે આના બીજા પાસા પર પણ ચર્ચા થતી રહી. ઈનિંગ્સ બ્રેકમાં જિયો સિનેમા પર વાત કરતા રૈનાએ આને જસ્ટિફાય કર્યુ. તેમણે કહ્યુ કે ગાયકવાડને પણ ખબર છે કે તેમને હજુ ધોની પાસેથી ઘણુ બધુ શીખવાનું છે. આ તેમની મેન્ટોરશિપનો સમય છે.
જાડેજા સાથે શું થયુ હતુ
ઋતુરાજની કેપ્ટનશિપ પર ધોનીની અસરની આટલી ચર્ચા પાછળ કારણ છે વર્ષ 2022ની સીઝન. જે રીતે આ વર્ષે ઋતુરાજને કેપ્ટન બનાવાયા છે. ત્યારે આ જ રીતે જાડેજાને કેપ્ટન બનાવાયા હતા. જોકે મેદાન પર કેપ્ટન તરીકે જાડેજા કંઈક ખાસ કમાલ કરી ન શક્યા. તે સીઝનની શરૂઆતી ચાર મેચોમાં ચેન્નઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જાડેજાની બેટિંગ પણ ખૂબ અસર થઈ હતી અને આખી સીઝનમાં તે માત્ર 112 રન જ બનાવી શક્યા હતા. ત્યારે પણ ધોની મેદાન પર સંપૂર્ણ રીતે એક્ટિવ નજર આવી રહ્યા હતા. ટીકાકારોએ ત્યારે પણ કહ્યુ હતુ કે ધોનીની દખલગિરીના કારણે જ જાડેજા કેપ્ટનશિપમાં અસરદાર થઈ શક્યા નહોતા.