આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ સોમવારે BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પહેલા અબુ ધાબી પહોંચ્યા હતા. મહંત સ્વામી મહારાજ 14 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબીમાં UAEના પ્રથમ હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનની અધ્યક્ષતા માટે રાજ્યના અતિથિ તરીકે ગલ્ફ દેશમાં પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
મહંત સ્વામી મહારાજનું UAEમાં ભવ્ય સ્વાગત
એરપોર્ટ પર આગમન સમયે મહંત સ્વામી મહારાજનું UAEના સહિષ્ણુતા મંત્રી શેખ નાહયાન મબારક અલ નાહ્યાને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જેની થોડી તસવીરો હાલ ક્ષસોઈયલ મીડીયા પર વાયરલ થઈ રહી છે. BAPS મંદિરના ઉદ્ઘાટન પહેલા આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ તૈયારીઓની સમીક્ષા કરવાઅબુધાબી પહોંચી ગયા છે.
મંદિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ 14મી ફેબ્રુઆરીના રોજ યોજાશે
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને UAE આર્મ્ડ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને મંદિરના નિર્માણ માટે 2015માં 13.5 એકર જમીન દાનમાં આપી હતી. એ બાદ UAE સરકારે જાન્યુઆરી 2019 માં 13.5 એકર વધારાની જમીન ફાળવી, મંદિરને ભેટમાં આપેલી કુલ જમીન 27 એકર થઈ ગઈ હતી. જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. હવે આ મંદિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ 14મી ફેબ્રુઆરીના રોજ યોજાશે.
‘અહલાન મોદી’ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના UAE પ્રવાસ પહેલા ભારતીય સમુદાયના ‘અહલાન મોદી’ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નોંધનીય છે કે UAEની મુલાકાત દરમિયાન, PM મોદી મંદિરના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા 13 ફેબ્રુઆરીએ ‘અહલાન મોદી’ ખાતે ભારતીય પ્રવાસીને સંબોધિત કરશે. 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.