ટોલ ટેક્સ પર નિયમ બદલવાની તૈયારીમાં સરકાર: રસ્તા પર નહીં દેખાય ટોલનાકા, નવી સિસ્ટમ થશે લાગુ
સરકાર સેટેલાઈટ બેસ્ડ ટોલ ટેક્સ શરૂ કરવા પર વિચાર કરી રહી છે જેના હેઠળ ટોલ બૂથ હટાવી દેવામાં આવશે અને વાહન ચાલકોને ફક્ત એટલો જ ટોલ ટેક્સ આપવો પડશે જેટલો રસ્તો તેમણે કાપ્યો છે.
આગામી લોકસભા ચૂંટણી માટે આચાર સંહિતા લાગુ થયા પહેલા સરકાર ટોલ ટેક્સ માટે “સેટેલાઈટ બેસ્ડ ટોલ ટેક્સ સિસ્ટમ” શરૂ કરવા પર વિચાર કરી રહી છે જેના હેઠળ ટોલ બૂથ હટાવી લેવામાં આવશે અને વાહન ચાલકોને ફક્ત એટલો જ ટોલ ટેક્સ આપવો પડશે જેટલો રસ્તો તેમણે કાપ્યો છે.
કઈ રીતે કરશે કામ?
સરકાર ટોલ ટેક્સ માટે દુનિયાની સર્વશ્રેષ્ઠ સેટેલાઈટ બેસ્ડ ટોલ ટેક્સ સિસ્ટમ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા આચાર સંહિતા લાગુ થતા પહેલા દેશમાં આ વ્યવસ્થા લાગુ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
નીતિન ગડકરીએ કહ્યું, “આ વ્યવસ્થા હેઠળ ટોલ બૂથ હટાવી લેવામાં આવશે. લોકોને ક્યાંય પણ રોકાવવાની જરૂર નહીં પડે. લોકોના વાહનના નંબર પ્લેટનો ફોટો લેવામાં આવશે અને જ્યાંથી એન્ટ્રી અને એક્ઝીટ થશે ત્યાં સુધીનો જ ટોલ ટેક્સ વસુલ કરવામાં આવશે. આ રકમ વાહન ચાલકોના બેંક એકાઉન્ટમાંથી કપાશે.”
ટોલ બૂથ પરથી દરરોજ સરેરાશ 49 હજાર કરોડ રૂપિયાની આવક થાય છે. તેમણે કહ્યું, “ફાસ્ટ ટેગ વ્યવસ્થાનો ઉપયોગ 98.5 ટકા લોકોએ કર્યો હતો. તથા 8.13 કરોડ ફાસ્ટ ટેગ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. તેના હેઠળ દરરોજ સરેરાશ 170થી 200 કરોડ રૂપિયાની આવક થાય છે.”
બીઓટી પરિયોજનાઓ વિશે પણ જણાવ્યું
ગડકરીએ બીઓટી પરિયોજનાઓ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબમાં જણાવ્યું કે જ્યારે તેમને પરિવહન મંત્રીનું પદ સંભાળ્યું હતું ત્યારે ત્રણ લાખ 85 હજાર કરોડ રૂપિયાની 406 પરિયોજનાઓ બંધ પડી હતી તથા બેંકોમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનું એનપીએ પડ્યું હતું.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ, નિષ્ણાંતોની બેઠક બોલાવીને સમાધાન કર્યું હતું. તેમણે જણાવ્યું ”અમે 20 ટકા પરિયોજનાઓ રદ્દ કરી હતી. આ જણાવતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે અમે ભારતીય બેંકોને ત્રણ લાખ કરોડની એનપીથી બચાવી.”