પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૯૩૮ મિલકત સીલ કરાતા રુપિયા ૧.૪૭ કરોડ આવક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ૩૧ માર્ચ-૨૪ સુધી બાકી મિલકતવેરો ભરપાઈ કરનારા કરદાતાઓને વ્યાજમાં માફી અપાઈ રહી છે.શુક્રવારે બાકી મિલકતવેરો વસૂલવા સાત ઝોનમાં ૨૩૫૮ બાકીદારોની મિલકત સીલ કરાતા રુપિયા ૬.૬૩ કરોડની તંત્રને આવક થઈ હતી.પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૯૩૮ બાકીદારોની મિલકત સીલ કરાતા રુપિયા ૧.૪૭ કરોડની આવક થઈ હતી.
પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં આવેલી રહેણાંક મિલકત પૈકી ૧૩૫૨ મિલકતના કરદાતાઓને બાકી ટેકસ ભરપાઈ કરવા છેલ્લી ચેતવણી નોટિસ આપવામાં આવી હતી.
કયા ઝોનમાં કેટલી મિલકત સીલ કરાઈ?