અમદાવાદમાં ઝોન દીઠ એક રોડને હવેથી દબાણ મુકત કરવાનો નિર્ણય
શહેરના રોડ ઉપર વધતા દબાણને નિયંત્રિત કરાશે
અમદાવાદના વિવિધ રોડ ઉપર વધતા જતા દબાણને નિયંત્રિત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.પાયલોટ પ્રોજેકટમાં હાલ ઝોન દીઠ એક રોડ ઉપર વિવિધ પ્રકારના થતા દબાણોથી મુકત કરવા એસ્ટેટ વિભાગના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.દબાણ મુકત કરવામાં આવેલા રોડ ઉપર દબાણોજોવા મળશે તો એસ્ટેટ વિભાગના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરાશે.
શહેરના વિવિધ રોડ ઉપર વધતા જતા દબાણોને લઈ ટ્રાફિકની પરિસ્થિતિ વકરી રહી છે.ઉપરાંત રાહદારીઓને પણ રસ્તો ઓળંગવામાં તકલીફ પડી રહી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સાત ઝોનમાં ઝોન દીઠ એક રોડને દબાણોથી મુકત કરવા નિર્ણય લેવાયો છે.
કયા-કયા રોડને દબાણમુકત કરાશે?
૧. નરોડા મુકિતધામથી હંસપુરા બસસ્ટેન્ડ થઈ દહેગામ સર્કલ
૨.નારોલબ્રિજથી ચંડોળા તળાવ થઈ દાણીલીમડા,જમાલપુર બ્રિજ
૩.વિદ્યામંદિર સ્કૂલ રોડ,વસ્ત્રાલ
૪.ઉસ્માનપુરા ચાર રસ્તાથી નહેરુનગર ચાર રસ્તા થઈ અંજલી ક્રોસ રોડ
૫.દિલ્હી દરવાજા ચાર રસ્તાથી શાહીબાગ અંડરપાસ સુધી
૬.સુરધારાથી સાલ ચાર રસ્તાથી જજીસ બંગલો રોડ
૭.ઉમિયા હોલ ચાર રસ્તાથી પ્રભાત ચોક સુધી
૮.સોબો સેન્ટર ચાર રસ્તાથી ભગવતી બંગલોઝ રોડ,ઘૂમા