ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. IPLના આધિકારીક બ્રોડકાસ્ટ સ્ટાર સ્પોર્ટસે આ સિઝન માટે હિન્દી અને અંગ્રેજી ટીવી કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી છે. આ યાદીમાં પૂર્વ ભારતીય ખેલાડી નવજોત સિંહ સિદ્ધુનું નામ પણ સામેલ છે. જે એક દાયકા બાદ કોમેન્ટ્રી બોક્સમાં કમબેક કરવા જઈ રહ્યા છે.
ભૂતપૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન નવજોત સિંહ સિદ્ધુએ વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે વાત કરી છે. એક ઈન્ટરવ્યુમાં નવજોત સિંહ સિદ્ધુએ એવા ભારતીય બેટ્સમેનનું નામ આપ્યું છે જે તેમના મતે વર્તમાનમાં સૌથી ગ્રેટેસ્ટ બેટ્સમેન છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ છેલ્લા T20 વર્લ્ડ કપ પછી આ ફોર્મેટમાં ઘણી મેચ રમી નથી, પરંતુ આગામી વર્લ્ડ કપ માટે તેમની ભારતીય ટીમમાં પસંદગી થવાની સંભાવના છે. સિદ્ધુએ આ બંનેની ટીમમાં પસંદગીને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “આ બંનેની ત્યાં જરૂર પડશે. તેઓ ક્રિકેટ જગતના ગ્રેટ ખેલાડીઓ છે. ફોર્મ સવારના ઝાકળ જેવું છે જે થોડો સમય રહે છે, પરંતુ કૌશલ્ય કાયમ રહે છે.”
સિદ્ધુએ કહ્યું કે, “હું કોહલીને ભારતના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોની યાદીમાં સામેલ કરીશ અને તેનું એકમાત્ર કારણ તેની ફિટનેસ છે. તે ઉંમરની સાથે વધુ ફિટ થઈ રહ્યો છે. ટેકનિકલી રીતે તે એક શાનદાર બેટ્સમેન છે અને ફોર્મેટને અનુરૂપ તેની ક્ષમતા અદ્ભુત છે અને પોતે ત્રણેય ફોર્મેટમાં પોતાને ઢાળવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. આ જ વાત રોહિતને પણ લાગુ પડે છે.”
નવજોત સિંહ સિદ્ધુએ વધુમાં કહ્યું કે, “બંને ક્વોલિટી પ્લેયર છે, મને રોહિતના ફિટનેસ લેવલ વિશે ખાતરી નથી… ઉંમર સાથે તમે ધીમા થાઓ છો, તમારી રિએક્ટ કરવાની ક્ષમતા ધીમી થઈ જાય છે.