અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્લમ ક્વાર્ટરને નવા બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. જૂના અને જર્જરિત થઈ ચૂકેલા સ્લમ ક્વાર્ટરના રિ-ડેવલપ કરવામાં આવશે. શહેરમાં ગરીબોને પાકા મળી રહે તે હેતુથી AMC દ્વારા નવા મકાન બનાવવામાં આવશે.
અમદાવાદના શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ ઝૂપડપટ્ટી અથવા તો વર્ષો પહેલા તૈયાર થયેલા મકાનો હાલ અત્યંત જર્જરિત થયા છે,લોકો ઘરમાં સૂતા હોય તો પણ રાત્રે અથવા તો ગમે ત્યારે સતના પોપડા પડે અને જાનહાની ની પણ ઘટનાઓ સામે આવી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ગરીબ લોકોને પણ પાકા મકાન સારી સુવિધા સાથે મળે તેને ધ્યાનમાં લઈને અનેક વિસ્તારોમાં રીવલોપમેન્ટની કામગીરી હાથ ધરી છે.
અમદાવાદ માં છેલ્લા કેટલાય વર્ષો થી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદ મ્યું. કોર્પોરેશન દ્વારા ગરીબોને સારું ઘર અને તમામ મૂળભૂત આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સ્લમ વિસ્તારને ડેવલપ કરવાનું બીડું ઉઠાવ્યું છે, શહેરના નવરંગપુરા વિસ્તાર હોય કે વેજલપુર વિસ્તાર જ્યાં સ્લમ વિસ્તાર હતો ત્યાં AMC દ્વારા ગરબીને પાકા મકાન બનાવી આપવામાં આવી રહ્યા છે, સ્લમ વિસ્તારમાં થી AMC ને ગટર, પીવાના પાણી બાબતે અનેક ફરિયાદો આવતી હતી ત્યારે આ તમામ ફરિયાદોનો એક સાથે નિકાલ અને લોકોને સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુ થી AMC દ્વારા સ્લમ વિસ્તારમાં સારી સુવિધાના એક રૂમ, રસોડું, બાલકની ની સુવિધા સાથે નવા મકાનો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ માં છેલ્લા કેટલાય વર્ષો થી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદ મ્યું. કોર્પોરેશન દ્વારા ગરીબોને સારું ઘર અને તમામ મૂળભૂત આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સ્લમ વિસ્તારને ડેવલપ કરવાનું બીડું ઉઠાવ્યું છે, શહેરના નવરંગપુરા વિસ્તાર હોય કે વેજલપુર વિસ્તાર જ્યાં સ્લમ વિસ્તાર હતો ત્યાં AMC દ્વારા ગરબીને પાકા મકાન બનાવી આપવામાં આવી રહ્યા છે, સ્લમ વિસ્તારમાં થી AMC ને ગટર, પીવાના પાણી બાબતે અનેક ફરિયાદો આવતી હતી ત્યારે આ તમામ ફરિયાદોનો એક સાથે નિકાલ અને લોકોને સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુ થી AMC દ્વારા સ્લમ વિસ્તારમાં સારી સુવિધાના એક રૂમ, રસોડું, બાલકની ની સુવિધા સાથે નવા મકાનો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રીપેરીંગ અને મેન્ટનન્સના કારણે અનેક સ્લમ વિસ્તારો ચાલીઓ જર્જરિત બની જાય છે
આમ ગરીબ નાગરિક પોતાની કમાણી માં ઘર ચલાવે છે મકાન રિપેર કરાવે ? ત્યારે રીપેરીંગ અને મેન્ટનન્સના કારણે અનેક સ્લમ વિસ્તારો ચાલીઓ જર્જરિત બની જાય છે. અનેક ફરિયાદો AMC ને પ્રાપ્ત થઈ હતી. જેથી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન હવે ગરીબો માટે દેવદૂત બની ને શહેરના મોટાભાગ ના સ્લમ ક્વાટર ને રી ડેવલમેન્ટ કરીને તમામ લોકોને સારી સુવિધાઓની અનુભુતી કરાવી રહ્યું છે ત્યારે હજુ અનેક વિસ્તારમાં AMC દ્વારા પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે.